કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી | Centre Promotes 3 Gujarat IAS Officers as Additional Secretaries in Key Ministries

IAS Officers: કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ગુજરાત કેડરના આ અધિકારીઓને મળ્યું પ્રમોશન
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, ગુજરાતના અનુભવી અધિકારીઓને તેમના જે-તે વિભાગોમાં ઉચ્ચ સ્તરીય જવાબદારી સોંપાઈ છે.
1. એમ.કે. ખંધાર (1996 બેચ): સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં અધિક સચિવ.
2. આરતી કંવર (2001 બેચ): ટેક્સટાઇલ મંત્રાલયમાં અધિક સચિવ.
3. વિજય નેહરા (2001 બેચ): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ.



આ પણ વાંચો: ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ
PMO અને અન્ય મહત્ત્વના ફેરફારો
માત્ર ગુજરાત કેડર જ નહીં, પણ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં કાર્યરત અધિકારીઓના કદમાં પણ વધારો કરાયો છે. PMOમાં કાર્યરત શ્રીધર ચિરુવોલુને પણ અધિક સચિવ તરીકે પ્રમોશન અપાયું છે. સમિતિએ કેટલાક અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પર જ ‘ઇન-સિટુ’ (In-situ) અપગ્રેડેશન આપીને અધિક સચિવનો દરજ્જો આપ્યો છે.


