गुजरात

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic end to a love marriage 4 people stabbed a young man to death in Vaalukad Chowk



– મૃતકના પિતાએ 4 શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી

– યુવાન ઘરેથી વાળું પાણી કરી સ્કૂટર લઈને આંટો મારવા નિકળ્યો અને મોતને ભેટી ગયો

ભાવનગર : ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ગત મોડી રાત્રિના સમયે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ચાર ઈસમોએ છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રહેતા અનિલભાઈ લખુભાઈ કાળોતરાનો પુત્ર રવિભાઈ ઉર્ફે લાલો અનિલભાઈ કાળોતરા ( ઉ.વ ૨૯ ) એ જાનવીબેન નામની યુવતી સાથે અમદાવાદની કોર્ટમાં લગ્ન કર્યા હતા.દરમિયાનમાં રવિભાઈ ઉર્ફે લાલો ગત તા.૨૮ માર્ચની રાત્રે એક્સેસ નંબર જીજે ૦૪ ઇકે ૦૦૮૧ લઈને વાળુકડ ગામના બસ્ટેન્ડ પાસે આંટો મારવા જતા હતા.આ સમગ્ર ઘટનાથી દાઝે ભરાયેલા મુના પ્રફુલ બલ્યા,હરેશ ઉર્ફે હરી ગોપાભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણયો માણસે રવિભાઈ ઉર્ફે લાલાને મારી નાખવા અગાઉથી કાવતરું રચી એક સંપ કરી વાળુકડ ગામના બસ સ્ટેશનમાં પાસે ધસી આવ્યા હતા.અને મારા રવિભાઈ ઉર્ફે લાલાને મોઢામાં, ગળામાં, તેમજ છાતી અને પેટના ભાગે તથા હાથે-પગે આડેધડ છરીઓનાં ઘા મારી જીવલેણ ઈજાઓ કરી મોત નીપજાવી ચારેય શખ્સ તેના વાહનોમાં નાશી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા અનિલભાઈએ ચાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વરતેજ પોલીસ મથકમાં 3 દિવસમાં બીજી હત્યાનો ગુનો નોંધાયો

વરતેજ પોલીસ મથક હેઠળ પતિએ અન્ય  સાથે સંબંધ હોવાના મામલે પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું ખુલતા પતિ વિરુધ્ધ ગત તા.૨૬ મર્ચના રોજ ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે વાળુકડ ગામે છરીના આડેધડ ઘા ઝીંકી યુવાની હત્યા કરી હોવાનો ગુનો નોંધાતા વરતેજ પોલીસ મથક હેઠળ ત્રણ દિવસના અંતરે હત્યાનો બીજો બનાવ બનવા પામ્યો છે.

ત્રણ દિવસ પહેલા પુત્રને પતાવી દેવાની ધમકી શખ્સોએ પિતાને આપી હતી

આજથી આશરે ત્રણ દિવસ પહેલા રાત્રિના આશરે દોઢ થી બે વાગ્યે એક ફોરવ્હીલ ગાડી આવી હતી. અને ઘર પાસે ઉભી રહેલ અને  દરવાજો ખખડાવેલ અને કહેલ કે રવિ ઉર્ફે લાલો ક્યા છે. તો પિતા અનિલભાઈએ કહેલ કે તમે કોણ છો અને લાલાનુ શુ કામ છે. ત્યારે સામેથી જવાબ આવેલ કે હુ કિશોર છુ અને અમોને મુના બલ્યાએ મોકલેલ છે.અને સાથે રહેલા હરીએ કહેલ કે લાલાને કહી દેજો કે તેણે અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. આજે મળી ગ્યો હોત તો મારી નાખી પુરો કરી દેવાનુ હતુ. તેમ કહી આ લોકો ચાલ્યા ગયા હતા.



Source link

Related Articles

Back to top button