ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & EC in Maynaguri Rally: Raises Concerns Over NRC and Voting Rights

![]()
West Bengal Assembly Election : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ મયનાગુડીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જાહેર જનતાને સંબોધન કરીને મતાધીકાર અને NCRનો મદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે ગંભીર ચિંતા સાથે આશંકા વ્યક્ત કરી છે કે, NCR દ્વારા મતદાર યાદીમાંથી અસલી નામો કાપવામાં આવી શકે છે. આ ઉપરાં તેમણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
મમતાએ ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
મમતા બેનરજીએ ઉત્તર બંગાળની રેલીમાં કહ્યું કે, ‘ઓળખ અને નાગરિકતા મામલે સવાલો ઉઠી રહ્યા છે કે, કોને કયાં આધાર પર માન્ય ભારતીય મતદાર માનવામાં આવશે? ભાજપ આ મુદ્દે જવાબ આપે. ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરતા નથી. આ લોકો મતદાનનો અધિકાર છિનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે નાગરિકોના મતદારનો અધિકાર છિનવવામાં આવી રહ્યો છે, કાલે આ લોકો એનસીઆર દ્વારા લોકોની નાગરિકતા છિનવી લેશે.’
મમતાએ ભાજપને બંગાળ વિરોધી પાર્ટી કહી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ભાજપને બંગાળ વિરોધી પાર્ટી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, અન્ય રાજ્યોમાં બંગાળીઓ સાથે મારપીટ કરવામાં આવી રહી છે. આસામમાં અનેક ઉમેદવારી પત્રો રદ થવા પર તેમણે કહ્યું કે, તેઓ પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વકીલને સાથે લઈ જવાનું કહેશે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ભાજપ ચૂંટણી પહેલા વચનોનો પીટારો ખોલે છે, પરંતુ ચૂંટણી બાદ બુલડોઝન ચલાવવાનું શરૂ કરી દે છે.’
VIDEO | West Bengal assembly election 2026: CM Mamata Banerjee (@MamataOfficial) at poll rally in Maynaguri, said, “BJP is anti-Bengali party. They are beating up Bengalis in other states.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/AiIemMlEQY
— Press Trust of India (@PTI_News) March 25, 2026
ભાજપ-ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી : મમતા બેનરજી
તેમણે આક્ષેપ કર્યો કે, સત્તાધારી TMCની શક્તિઓ છિનવી લેવામાં આવી રહી છે, પરંતુ રાજ્યની પ્રજા તેનાથી પણ મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, ‘તેઓએ મારી પાસેથી બધુ જ છિનવી લીધું, હવે મારી પાસે માત્ર પ્રજા છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘મને ભાજપ અને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી.’
અગાઉ SIR પ્રક્રિયા મુદ્દે મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને ચૂંટણી પંચ મેળાપીપણું કરીને લોકોના મતદાનનો અધિકાર છિનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે, SIR પ્રક્રિયા કરતી વખતે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. તેમણે વિપક્ષના તમામ પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવાની અપીલ કરી છે.



