दुनिया

ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટન પ્રેટ્રોલિયમ ભંડાર , પીએમનું સંસદમાં સંબોધન | India has 5 3 million metric tons of petroleum reserves PM addresses Parliament



નવી દિલ્હી,23 માર્ચ,2026,સોમવાર 

ઇરાન યુદ્ધમાં એનર્જી ક્રાઇસિસની શકયતા વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા માહિતી આપી હતી કે પશ્ચિમી એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે  અત્યાર સુધી ૩.૭૫ લાખ કરતા વધુ ભારતીયો સુરક્ષિત પાછા ફર્યા છે. ઇરાનથી અત્યાર સુધી એક હજાર કરતા વધુ ભારતીયો સુરક્ષિત પાછા ફર્યા છે જેમાંથી ૭૦૦ કરતા તો વધુ મેડિકલ સ્ટુડન્ટસ છે.

 દેશ પોતાની જરુરિયાતનો ૬૦ ટકાથી વધુ આયાત કરે છે. આ સપ્લાયમાં અનિશ્ચિતતના કારણે સરકારે એલપીજીના ઘરેલું ઉપયોગમાં પ્રાથમિકતા આપી છે. સાથે એલપીજીએ ઘરેલુ પ્રોડકશન પણ વધારવામાં આવી રહયું છે. ભારત છેલ્લા ૧૧ વર્ષોમાં પોતાના ઉર્જા આયાતમાં વિવિધતા લાવ્યું છે. પહેલા ક્રુડ ઓયલ, એલએનજી અને એલપીજી ૨૭ દેશોમાંથી આયાત થતા હતા હવે ભારત ૪૧ દેશોમાંથી ઉર્જા આયાત કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં ભારત પાસે ૫૩ લાખ મેટ્રીક ટન સ્ટ્રેટેજીક રણનીતિક પ્રેટ્રોલિયમ ભંડાર છે.



Source link

Related Articles

Back to top button