मनोरंजन

અર્જુન રામપાલ છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં વિલન બનશે | Arjun Rampal to play villain in Chhatrapati Shivaji Maharaj film



– આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી શિવાજી મહારાજના રોલમાં હશે

મુંબઇ: અર્જુન રામપાલ ધૂરંધર ટુની સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. અભિનેતા ધ પ્રાઇડ  ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજની  ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં  ઋષભ શેટ્ટી હશે. આ ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહનું હશે અને આ ફિલ્મ દ્વારા તે દિગ્દર્શક તરીકેની પણ કારકિર્દી શરૂ કરશે. 

ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના  સાહસ,યુદ્ધ કૌશલ અને મુગલ  સામ્રાજ્ય વિરુદ્ધ સંઘર્ષની ગૌરવગાથા દર્શાવામાં આવશે.

આ ફિલ્મમાં શેફાલી શાહ છત્રપતિ શિવાજીની માતા રાજમાતા જિજાબાઇની ભૂમિકામાં હશે. 

સંદીપ સિંહની આ ફિલ્મનું શૂટિંગ જુન મહિના પછી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું સંગીત પ્રીતમનું હશે.  અને સિનેમેટોગ્રાફી રવિ વર્માની હશે. 



Source link

Related Articles

Back to top button