गुजरात

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert of unseasonal rain for 3 days in Surendranagar



આગ
ફૂંકતા ઉનાળામાં માવઠાનું સંકટ

કમોસમી
માવઠા સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી ઃ ખેતરોમાં ઉભા પાકને નુક્સાનની
ભીતિ

સુરેન્દ્રનગરઉનાળાની શરુઆતથી
તાપમાનનો પારો ઉંચકાતાં કાળઝાળ ગરમીના માહોલમાં હવે કમોસમી માવઠાએ ચિંતા વધારી છે.
રાજ્યના ર૦ થી વધુ જિલ્લા પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવ વચ્ચે હવામાન વિભાગે
આગામી ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદનું યલો એલર્ટ આપતાં ખેડૂતો ચિંતિત બન્યા
છે. કમોસમી માવઠા સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
છે જેથી કમોસમી વરસાદ અને પવન ફૂંકાય તો ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુક્સાન થવાની
ભીતિ છે.

અસહ્ય
ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૩
દિવસ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટબન્સીના કારણે
વાતાવરણમાં પલ્ટો આવશે અને રાજ્યના ર૦થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની
આગાહી કરવામાં આવી છે જેમાં ૧૯ માર્ચે જિલ્લામાં પણ હળવાથી મધ્યમ કમોસમી વરસાદને
લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લામાં
હોળી-ધૂળેટીના તહેવારો પછી ખેતરોમાં ઉભા પાકની કાપણીનો ધમધમાટ શરુ થયો છે.
ખેતમજૂરોના અભાવે ઘઉં કાપણી વિલંબમાં પડી છે. તેવા સમયે જો માવઠું વરસે તો
ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ૧૮થી
૨૧ દિવસ સુધી કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવતાં ખેડૂતોના જીવ ફરી એકવાર
ઉચાટમાં આવી ગયા છે. હાલના સમયે ઉનાળુ વાવેતર પણ આગળ વધી રહ્યું છે જેમાં હાલના
વાવેતરને માવઠાથી કોઈ નુક્સાન જવાની શક્યતા નથી પરંતુ ખેતરોમાં ઉભા ઘઉં
, વરીયાળી સહિતના પાકોને
નુક્સાન થઈ શકે છે.

 

ક્યાં
વરસાદ પડશે
?

૧૮
માર્ચ ઃ રોજ કચ્છ
, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,
મોરબી, જામનગર, દેવભૂમિ
દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને
યલો અલર્ટ જાહેર કર્યું છે.

૧૯
માર્ચ ઃ કચ્છ
, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,
રાજકોટ, બોટાદ, દેવભૂમિ
દ્વારકા
, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,
પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,
વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ,
નર્મદા, સુરત, તાપી,
ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી
છે. 

૨૦
માર્ચ ઃ રોજ કચ્છ
, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,
મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા
કમોસમી વરસાદની આગાહી છે.

 

ભારે
પવન ફૂંકાવવાની શક્યતા

હવામાન
વિભાગની આગાહી અનુસાર ૧૯-૨૦ માર્ચ દરમિયાન કમોસમી માવઠાની સાથે આ જિલ્લાઓમાં ૪૦-૫૦
કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

પાક
રક્ષણ માટે સાવચેતી રાખવા તાકીદ

કાપણી
કરેલો પાક સલામત સ્થળે ખસેડવો અથવા શેડ નીચે રાખવો.

પાકને
પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી
,
ફરતે માટીનો પાળો બનાવવો જેથી પાણી અંદર ન જાય.

વરસાદી
માહોલમાં જંતુનાશક દવા છાંટવાનું કે ખાતર નાખવાનું ટાળવું.

વાવણી
માટેનું બિયારણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવું.

વરસાદની
આગાહી હોય ત્યારે પાક વેચવા લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવો.

વધુ
માહિતી માટે ગ્રામસેવક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.



Source link

Related Articles

Back to top button