गुजरात
જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamnagar

![]()
Jamnagar : જામનગરમાં ભીમવાસ-2 મેઇનચોક વિસ્તારમાં રહેતી સખીનાબેન અશરફભાઈ ગેરા નામની 40 વર્ષની મુસ્લિમ પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર બાથરૂમના એંગલમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓએ તરત જ 108 ની ટુકડીને ઘરે બોલાવી લીધી હતી, જે ટીમે ઘરે પહોંચીને ચેક કરતાં સખીનાબેનનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પરિવારના કુલસુમબેન કાસમભાઇએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સખીનાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



