राष्ट्रीय
બાટલાની બબાલ પૂરી થશે : પ્રજાને હાશકારો


– ભારતના ટેન્કર શિવાલિક અને નંદા દેવી 92,700 ટન એલપીજી સાથે બે દિવસમાં ગુજરાતના બંદરો પર પહોંચશે
– કાળાબજારિયા પર તવાઈ : યુપીમાં 1483 સ્થળો પર દરોડા, 24 એફઆઈઆર, દેશભરમાં 1500થી વધુ સિલિન્ડર જપ્ત
– દેશમાં લોકોએ એલપીજીની અછતની અફવાઓથી ગભરાઈને કરેલા બૂકિંગ 88 લાખે પહોંચ્યા
– એલપીજીનું ઉત્પાદન 30 ટકા વધારાયું કમર્શિયલ બાટલાનું વેચાણ ફરી શરૂ
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ૧૫ દિવસથી ચાલતા યુદ્ધની અસર ભારતમાં નાગરિકોને થઈ રહી છે. દેશમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાના કેન્દ્ર સરકારના દાવાઓ છતાં લોકોએ રાંધણ ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.



