गुजरात

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled by the street lights areas including Tower Chowk and Morbi Bridge



સુરેન્દ્રનગર
મહાનગરપાલિકાની
ઘોર બેદરકારી

શહેરના
વ્યસ્ત વિસ્તારો અંધારપટથી અકસ્માતનો ભય ઃ મનપામાં રજૂઆતો કરવા છતાં સમસ્યા નહીં
ઉકેલાતા રોષ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગની લાપરવાહીને કારણે
શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ છવાયેલો રહે છે. પાલિકા દ્વારા વીજ
સુવિધાઓ પાછળ દર વર્ષે કરોડો રૃપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે
, તેમ છતાં શહેરીજનોને અંધકારમય વાતાવરણમાં રહેવાની ફરજ પડી રહી છે.

શહેરના
હૃદય સમાન અજરામર ટાવર ચોક
,
રતનપરને જોડતો સરદારસિંહ રાણા પુલ અને ટાંકી ચોક જેવા અતિ વ્યસ્ત
વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંધકારને કારણે
વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ પાલિકાના
ફરિયાદ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં
, તંત્ર દ્વારા
હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

તાજેતરમાં
જ શહેરનો દરજ્જો વધારીને મહાનગરપાલિકા કરવામાં આવી છે
, ત્યારે પ્રાથમિક
સુવિધા સમાન લાઈટો પણ રિપેર ન થતા જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોની
માંગ છે કે રાત્રિ દરમિયાન પડતી આ હાલાકી દૂર કરવા તાત્કાલિક ધોરણે લાઈટોનું
રિપેરીંગ કામ શરૃ કરવામાં આવે.



Source link

Related Articles

Back to top button