राष्ट्रीय

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff



(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬

ઇ-કોમર્સની મોટી કંપની ફ્લિપકાર્ટે પોતાના વાર્ષિક પરફોમન્સ
રિવ્યુ પછી પોતાના કર્મચારીઓની સંખ્યામાં ૨૫૦ થી ૩૦૦નો ઘટાડો કર્યો છે તેમ સંબધિત
સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કર્મચારીઓની સંખ્યામાં આ ઘટાડો અનેક ડિપાર્ટમેન્ટ અને
કર્મચારી લેવલે કરવામાં આવ્યો છે કારણકે વોલમાર્ટની માલિકીની આ કંપની આઇપીઓ અગાઉ
સિનિયર લેવલે હાયરિંગ કરી રહી છે.

ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની નિયમિતપણે
કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરે છે. આ પ્રક્રિયાના ભાગરૃપે કેટલાક કર્મચારીઓને
કંપનીમાંથી  કાઢી મૂકવામાં આવી શકે છે.

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે તે અસરગ્રસ્ત કર્મચારીઓને
ટ્રાન્ઝિશન સપોર્ટ આપશે. જો કે આ પ્રક્રિયામાં અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા
દર્શાવવામાં આવી નથી. જો કે સૂત્રોએ આ સંખ્યા ૨૫૦થી ૩૦૦ની વચ્ચે બતાવી છે.

ડિસેમ્બર,
૨૦૨૫માં કંપનીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)થી પોતાનું લિગલ
ડોમિુસાઇલ સિંગાપોરથી ભારત શિફ્ટ કરવાની મંજૂરી મળી હતી. જે સંભવિત ડોમેસ્ટિક
લિસ્ટિંગની તેની યોજનાઓમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

રીસ્ટ્રકચરિંગનો હેતુ ગુ્રપના હોલ્ડિંગ સ્ટ્રકચરને સરળ
બનાવવાનો છે. તેના ફેશન
હેલ્થ અને લોજિસ્ટિકનાં બિઝનેસ અને તેમાં સિંગાપોરની આઠ
કંપનીઓનું ફ્લિપકાર્ટ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડમાં મર્જર સામેલ છે જેથી તે ભારતીય
રેગ્યુલેટરી જરૃરિયાતોના હિસાબથી થઇ શકે.

 

 



Source link

Related Articles

Back to top button