राष्ट्रीय

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Flights Cancelled in India Due to Middle East Crisis Air India & Indigo Advisory



180 Flights Cancelled in India Due to Middle East Crisis : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

ભારતના મોટા શહેરોમાં ફ્લાઈટ્સનું ભારણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ (48 ડિપાર્ચર અને 45 અરાઈવલ).

દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે.

એર ઈન્ડિયાની એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં 2 - image

UAE નો મોટો નિર્ણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતા અને જાનહાનિ

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.



Source link

Related Articles

Back to top button