માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in per capita water consumption

![]()
અમદાવાદ,સોમવાર,2
માર્ચ,2026
માથા દીઠ પાણી વપરાશને લઈ જે નિયત મર્યાદા દૈનિક ૧૫૦ લીટર
નકકી કરાઈ છે.આ મર્યાદા કરતા પણ વધુ એટલે કે દૈનિક સરેરાશ ૨૦૦ લીટરથી પણ વધુ
પાણીનો અમદાવાદી નાગરિક વપરાશ કરે છે.શહેરના પશ્ચિમમા આવેલા કેટલાક વોર્ડ
વિસ્તારોમાં તો દૈનિક ૨૫૦ લીટરથી પણ વધુ પાણીનો વપરાશ લોકો કરી રહયા છે. પાણીના
સતત વધુ વપરાશને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચિંતિત છે.કોર્પોરેશનની સામાન્ય
ચૂંટણી પછી નવી ટર્મમા સત્તાસ્થાને આવનાર પક્ષ સાથે સંકલન કરી ૧૪ વર્ષ અગાઉ વોટર
મીટર લગાવાયા હતા તે પોલીસીનો ફરીથી અમલ થાય તેવી પ્રબળ સંભાવના છે. નર્મદાનુ પાણી
લેવા કોર્પોરેશન રાજય સરકારને પ્રતિ કિલો લીટર દીઠ રુપિયા ૫.૦૨ પૈસા ચૂકવે છે.
એક સર્વે મુજબ,
નવેમ્બર-૨૦૨૩માં અમદાવાદમાં પાણીનો રોજનો વપરાશ ૧૫૭૯ લાખ લીટર પર ડે
હતો.હાલમાં કોર્પોરેશન નર્મદા કેનાલમાંથી દૈનિક ૧૭૫૦ લાખ લીટર રો વોટર મેળવે છે.
પાલડી, નવરંગપુરા,વાસણા, વાડજ, રાણીપ, ચાંદખેડા ઉપરાંત ઉત્તર પશ્ચિમમા આવેલા થલતેજ,બોડકદેવ અને ગોતા
જેવા વોર્ડ વિસ્તારમાં માથાદીઠ દૈનિક ૨૫૦
લીટરથી પણ વધુ પાણી લોકો વાપરી રહયા છે.જયારે મધ્યઝોનમાં આવેલા કોટ વિસ્તાર અને
તેમાં પણ ખાડીયા, સારંગપુર, રાયપુર, અને જમાલપુર
વોર્ડના અનેક વિસ્તાર એવા છે કે જયાં એક ટાઈમ પાણી મેળવવામા પણ રહીશોને મુશ્કેલી
પડી રહી છે. કોર્પોરેશન
બે કલાક પાણી સપ્લાય આપે છે એમા પણ પંદરથી વીસ મિનીટ તો પ્રદૂષિત પાણી આવતુ હોવાની
ફરિયાદો કોર્પોરેશનને સી.સી.આર.એસ.દ્વારા રોજ મળતી હોય છે. શહેરમાં ઝોન દીઠ પાણીની
અસમાન વહેંચણીને એક તબકકે નજર અંદાજ કરવામા આવે તો પણ એક બાબત નિશ્ચિત છે કે, તંત્ર કાર્યવાહી
કરે કે ના કરે શહેરીજનોએ પોતે પાણી બચાવવા પહેલ કરવી પડશે.
શહેરમાં ઝોન અને માથા દીઠ
દૈનિક પાણી વપરાશ કેટલો?
ઝોન વોટર સ્ટેશન દૈનિક(MLD) માથાદીઠ
વપરાશ(લીટર)
મધ્ય ૧૯ ૨૯૪.૮ ૨૨૦
પશ્ચિમ ૪૨ ૩૦૯.૫ ૨૭૦
ઉત્તર ૩૨ ૨૫૫ ૨૧૩
દ.પ. ૨૫ ૧૩૦ ૨૧૭
ઉ.પ. ૩૨ ૨૧૯ ૩૦૯
દક્ષિણ ૪૫ ૨૯૩.૫ ૨૩૩
પૂર્વ ૪૦ ૩૦૨ ૨૩૮
માથાદીઠ પાણી દીઠ કેટલો વપરાશ જરુરી
–પીવા
માટે પાંચ લીટર
–ટોઈલેટ,નાહવા પચાસ લીટર
–રસોઈ પાંચ લીટર
–વાસણ,પોતા વીસ લીટર
–કપડા
ધોવા વીસ લીટર
–અન્ય કામ પચાસ લીટર
કોર્પોરેશનને નર્મદાના પાણી માટે રુપિયા ૯૧૫ કરોડ ચૂકવવાના
બાકી
અમદાવાદની ૮૦ લાખની વસ્તીને પાણી પુરૃ પાડવા કોર્પોરેશન રોજ
રુપિયા બે કરોડનો ખર્ચ કરે છે. રોજ ૨૩૫
વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી નર્મદાના પાણી પહોંચાડાય છે. શહેરીજનોને પાણી
પુરુ પાડવા વાર્ષિક ૭૨૫ કરોડથી પણ વધુ
ખર્ચ થાય છે.વર્ષ-૨૦૨૦-૨૧થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામા આવેલા નર્મદાના
પાણી પેટે રુપિયા ૯૧૫ કરોડ ચૂકવવાના બાકી છે. જે પૈકી સરદાર સરોવર નિગમને રુપિયા
૫૭૭.૪૩ કરોડ, ધોળકા
બ્રાન્ચ કેનાલમાંથી લેવામાં આવેલા પાણી પેટે રુપિયા ૨૩૪.૬૧ કરોડ તથા નડિયાદ સિંચાઈ
વિભાગ પાસેથી લેવામા આવેલા પાણી પેટે રુપિયા ૧૦૪.૮૫ કરોડ ચૂકવવાના બાકી છે.
પાણી આપવા કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો
વર્ષ ખર્ચ(કરોડમાં)
૨૦૧૯-૨૦ ૧૬૧.૭૮
૨૦૨૦-૨૧ ૧૮૮.૮૧
૨૦૨૧-૨૨ ૨૨૨.૨૪
૨૦૨૨-૨૩ ૨૫૩.૫૪
૨૦૨૩-૨૪ ૨૮૦.૦૦
પાંચ વર્ષમાં શહેરને કેટલુ પાણી અપાયું
વર્ષ એમ.એલ.ડી.(દૈનિક)
૨૦૧૯-૨૦ ૧૨૦૦
૨૦૨૦-૨૧ ૧૩૦૦
૨૦૨૨-૨૩ ૧૩૫૦
૨૦૨૩-૨૪ ૧૪૦૦
૨૦૨૪-૨૫ ૧૬૦૦
૨૦૨૫-૨૬ ૧૮૦૦
કોર્પોરેશનને પાણીવેરાની આવક
વર્ષ આવક(કરોડમાં)
૨૦૨૪-૨૫ ૨૬૪.૭૯
૨૦૨૫-૨૬ ૨૪૭.૧૫
(૧
માર્ચ-૨૬ સુધીમાં)



