અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad Traffic Alert: Routes Closed for Bhadrakali Mata Nagaryatra on February 26

Bhadrakali Mata Nagaryatra : આવતીકાલે ગુરુવારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. યાત્રાને લઈને તંત્ર દ્વારા વાહનચાલકો માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ જાહેરનામું આવતીકાલે 26 ફેબ્રુઆરી સવારે 7થી નગરયાત્રા પૂરી થાય ત્યાં સુધી લાગુ રહેશે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, AMC કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરા સર્કલ થઈ ગુજરી બજાર સર્કલ સુધીનો એક તરફનો રોડ બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે.
પાંચકૂવા થઈ કડીયાકુઈ થઈ ધનાસુથાર ચાર રસ્તા થઈ ટંકશાળ રોડ તરફ અવર-જવર કરી શકાશે.
ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ થઈ રિલીફ રોડ તરફ અવર-જવર કરી શકાશે.
સારંગપુર સર્કલથી ત્રિકમરાય મંદિર રોડ થઈ આસ્ટોડીયા દરવાજા થઈ રાયપુર ચકલા થઈ રાયપુર દરવાજા તરફ અવર-જવર કરી શકાશે.
એસ.ટી. બસ સ્ટેન્ડ જમાલપુર બ્રિજ તરફના રોડ પર અવર-જવર કરી શકાશે.
જમાલપુર દરવાજા થઈ ગાયકવાડ હવેલી થઈ રાયખડ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
કામા હોટલ કટ થઈ ખાનપુર દરવાજા થઈ જે.પી.ચોક થઈ દિનબાઈ ટાવર તરફ અવર-જવર કરી શકાશે.
સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરા સર્કલ થઈ ગુજરી બજાર સર્કલ સુધીનો એક તરફનો રોડ ચાલુ રહેશે.



