राष्ट्रीय

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allahabad adj pocso court ordered fir against shankracharya swami avimukteshwaranand



Image Source: IANS (File Pic)

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતી વિરૂદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટથી મોટો આદેશ સામે આવ્યો છે. એડીજે પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોલીસને કેસ નોંધવા અને કાયદા મુજબ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે ઝુસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે.

જણાવી દઈએ કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી તરફથી દાખલ કરાયેલી અરજી પર કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. પ્રયાગરાજની એડીજે રેપ એન્ડ પોક્સ સ્પેશિયલ કોર્ટે કેસની સુનાવણી કરતા આરોપ લગાવનારા બંને સગીરોના કોર્ટમાં વીડિયો સાથે નિવેદન દાખલ કરાયા હતા. આ સાથે જ પોક્સો કોર્ટે પોલીસના રિપોર્ટનું પણ સંજ્ઞાન લીધું હતું. સગીરોના નિવેદન દાખલ કરવા અને પોલીસ રિપોર્ટ જોયા બાદ કોર્ટે જજમેન્ટ રિઝર્વ કર્યું હતું. હવે શનિવારે કોર્ટે આ મામલે ચુકાદો પણ સંભળાવી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપ લગાવનારા બંને સગીરોના નિવેદન 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં વીડિયોગ્રાફી સાથે દાખલ કરાયા હતા. કોર્ટે પોલીસ રિપોર્ટને પણ સંજ્ઞાનમાં લીધો અને સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

હવે કોર્ટના આદેશ બાદ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી થશે. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો કે, તેમણે કથિત ઘટનાઓથી સંબંધિત સીડી પણ કોર્ટમાં સોંપી છે. તેમણે કહ્યું કે, તેમને ન્યાય મળ્યો છે અને તેઓ પ્રયાગરાજથી વિદ્યા મઠ, વારાણસી સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે જેથી લોકોને હકીકત જણાવી શકાય.

માત્ર મને બદનામ કરવાનું આવું કરાયું: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

ત્યારે, આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે ચારેય શંકરાચાર્ય બેસેશે ત્યારે વાત કરીશું. હજુ તો અમારા ઉપર આરોપ લગાવાયા છે. અમે તેના પુરાવા કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. બે મહિનામાં અથવા જલ્દીથી કોર્ટ આનો ચુકાદો સંભળાવશે. તેના પર ઝડપી ટ્રાયલ થવી જોઈએ. જે એક્ટ મારા પર લગાવાયા છે, તે એક્ટમાં એ નિયમ છે કે ન તો બાળકોની ઓળખ જાહેર કરવામાં આવે અને ન તો કોઈ બીજાની ઓળખને સામે લાવવામાં આવે. તેમ છતાં એવું કરાઈ રહ્યું છે. માત્ર મને બદનામ કરવા માટે આવું કરાઈ રહ્યું છે. જનતા બધું સમજી રહી છે અને જોઈ રહી છે. ગૌ માતાને પ્રતિષ્ઠા આપવી પડશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા પર જેટલા પણ આરોપ લગાવવામાં આવે, પરંતુ અમે અટકીશું નહીં. ખોટા આરોપો લગાવવા છતાં અમારું મનોબળ વધતું રહેશે. દૂષિત માનસિકતાને લઈને માત્ર મને આરોપો લગાવીને ફસાવવામાં આવી રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, માતાની પ્રતિષ્ઠાનો અવાજ ઉઠાવવાનું આ નુકસાન મારે ભોગવવું પડી રહ્યું છે. મારા પર એવા આરોપ લગાવાયા છે, જેની સર્વ સમાજમાં કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ હું ડરવાનો નથી, કારણ કે સત્યને આંચ પણ નહીં.



Source link

Related Articles

Back to top button