गुजरात

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો | Kankaria Ahmedabad fiancé Died young woman by pelting her with stones



Ahmedabad Kankaria news : અમદાવાદના કાંકરિયા વિસ્તારમાંથી ફરી એકવાર ચોંકાવનારી હત્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાંકરિયાના ગેટ નંબર 7ની નજીકમાં એક યુવતીની પથ્થરોના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ હત્યા યુવતીના મંગેતર દ્વારા જ કરાઈ હોવાનો ખુલાસો થયો છે. 

શું હતો મામલો? 

આ હત્યાનો બનાવ મોડી રાતે બન્યો હતો. જ્યાં કાંકરિયાના ગેટ નંબર 7 પાસે ફલકનાઝ પઠાણ નામની યુવતીની તેના જ મંગેતર મોહમ્મદ આવેશ પઠાણે હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસ મુજબ, બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી અને ઉશ્કેરાયેલા આવેશે રસ્તા પર પડેલા એક પથ્થરના બ્લોક વડે વડે ફલકનાઝ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી 

આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ શંકાને આધારે આ હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સાચું કારણ આરોપીની પૂછપરછ અને તપાસ બાદ જ સામે આવશે. હાલમાં મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button