राष्ट्रीय

‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’, RJDની કમાન સંભાળતા જ તેજસ્વીનું દર્દ છલકાયું | Tejashwi Yadav Takes Charge of RJD What was said about NDA and Nitish Kumar



Tejashwi Yadav Takes Charge of RJD: તેજસ્વી યાદવે શનિવારે(7 ફેબ્રુઆરી, 2026) પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના કાર્યકારી પ્રમુખ તરીકે ઔપચારિક રીતે પદ સંભાળ્યું છે. પાર્ટી કાર્યાલયમાં પોતાના સંબોધનમાં તેજસ્વી યાદવે રાજકીય હુમલાઓ, સંગઠનાત્મક વિસ્તરણ, NDA સરકાર સામેના આરોપો અને RJDના ભવિષ્ય અંગે અનેક મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા. RJDની કમાન સંભાળતા તેજસ્વીનું દર્દ છલકાયું હતું. કાર્યક્રમમાં હાજર પાર્ટી નેતાઓ અને કાર્યકરોને સંબોધતા તેજસ્વીએ ભાવુક અંદાજમાં કહ્યું કે, “મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા…, RJDને નવી ઉર્જા અને સંકલ્પ સાથે આગળ વધારવાનો સમય આવી ગયો છે અને તેનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. “

‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’

તેજસ્વી યાદવે તેની રાજકિય સફર વિશે જણાવ્યું કે, “મારા વિરૂદ્ધ સતત ષડયંત્ર રચવામાં આવ્યું. આમ, જ્યારે મારી મૂછ  પણ નહોતી આવી ત્યારે CBI અને EDના કેસ કરવામાં આવ્યા. અમારી તો ભ્રૂણ હત્યા કરવામાં આવી રહી છે. મારો વાંક બસ એટલો હતો કે, વર્ષ 2017માં નીતિશ કુમાર ભાજપની સાથ જવા માંગતા હતા. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે.” 

તેજસ્વી યાદવે શું કહ્યું?

તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું કે,’કાર્યકારી પ્રમુખ બનવાનું મારા માટે ફક્ત એક પદ નહીં પરંતુ એક જવાબદારી છે. લાલુ પ્રસાદનું સ્વપ્ન પૂરું કરવાનું છે. બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવવું પડશે. મારું સ્વપ્ન RJDને ફરીથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે.’ તેમણે જાહેરાત કરી કે, હોળી પછી તેઓ સમગ્ર બિહારમાં પ્રવાસ કરશે અને પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવશે.

NDA સરકાર પર સીધો હુમલો

તેજસ્વીએ પોતાના શપથ ગ્રહણ ભાષણમાં NDA પર આકરા પ્રહારો કરતા કહ્યું, “NDA સરકાર ભયનો માહોલ સ્થાપિત કરવા માગે છે. આજે લોકશાહી અને બંધારણને ખતમ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષને દબાવવા અને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બિહાર ચૂંટણીમાં લોકો હારી ગયા અને સિસ્ટમ જીતી ગઈ. પરંતુ અમે ડરીશું નહીં કે ઝૂકીશું નહીં.”

આ પણ વાંચો: ‘તિરુપતિ લાડુના ઘીમાં ટોઇલેટ ક્લિનર!’: ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર

નીતિશ કુમાર પર પ્રહાર

તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતાં કહ્યું કે, “નીતિશ કુમાર ફક્ત અધિકારીઓના મુખ્યમંત્રી રહેશે. તેઓ નેતા બની શકતા નથી. જો બિહારમાં કોઈ નેતા છે, તો તે લાલુ પ્રસાદ છે. NDA નેતાઓનું એકમાત્ર કામ “લાલુ પ્રસાદ અને તેજસ્વીનો 24 કલાક દુરુપયોગ કરવાનું છે.”



Source link

Related Articles

Back to top button