જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a building in Jamnagar that was closed for 6 hours

![]()
Jamnagar Theft Case : જામનગરમાં વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા નામના 42 વર્ષના યુવાને પોતાના રહેણાક મકાનમાંથી ગઈકાલે દિવસ દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા 67,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.
વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી, કે જેઓ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે પીપળી ગામે ગયા હતા. સવારે 10.00 વાગ્યે મકાનને તાળું મારીને નીકળ્યા બાદ બપોરે ચાર વાગ્યે લગ્નમાંથી પરત ફરતાં પોતાના ઘરમાં ચોરી થઈ ગઈ હોવાનું અને ઘરનો માલ સામાન વેર વિખેર પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ ધરી છે.



