‘હેલ્લો… હું અજિત પવાર’, પ્લેન ક્રેશ પહેલા DyCMની કોની સાથે થઈ વાતચીત? સામે આવી ઓડિયો ક્લિપ | Ajit Pawar’s Final Phone Call Before Baramati Plane Crash Goes Viral Audio Out

![]()
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય હજુ પણ આઘાતમાં છે. 28મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતના થોડા સમય પહેલા અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હવે સામે આવી છે. અકસ્માતના માત્ર 8 મિનિટ પહેલા થયેલી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા.
વિમાન ક્રેશના 8 મિનિટ પહેલાનો ઓડિયો વાઈરલ!
દિવંગત અજિત પવાર ચૂંટણી રેલી માટે બારામતી જઈ રહ્યા હતા. અજિત પવારને સાંભળવા માટે તૈયાર હતા, પરંતુ વહેલી સવારે વિમાન દુર્ઘટના સર્જાતા અજિત પવારનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. હવે, એક ઓડિયો ક્લિપ સામે આવી છે. તેમાં અજિત પવાર એક પાર્ટી પદાધિકારી સાથે વાત કરી રહ્યા હતા. નોંધનીય છે કે, ફ્લાઇટ દરમિયાન, જ્યારે વિમાન નેટવર્ક વિસ્તારમાં આવ્યું, ત્યારે તેમણે સવારે 8:37 વાગ્યે પુણે ગ્રામીણ જિલ્લાના કાટેવાડીના સ્થાનિક પક્ષ પદાધિકારીને ફોન કર્યો. થોડીવાર પછી, લગભગ 8:45 વાગ્યે વિમાન ક્રેશ થયું. આનો અર્થ એ છે કે આ વાતચીત અકસ્માતના 8 મિનિટ પહેલા થઈ હતી. અજિત પવારે આ કોલ તેમના પક્ષના કાર્યકર શ્રીજીત પવારને કર્યો હતો. શ્રીજીત કાટેવાડી વિસ્તારમાં સ્થાનિક NCP નોતા હોવાનું કહેવાય છે. બંને વચ્ચે વાતચીત મરાઠીમાં થઈ હતી.
દાદાની છેલ્લી વાતચીત શું હતી?
અજીત પવાર: હેલ્લો
શ્રીજીત પવાર: હેલ્લો દાદા, નમસ્તે
અજીત પવાર: અરે બાબા, દિગંબર દુર્ગાડે ઘણાં વર્ષોથી માલી સમુદાય સાથે સંકળાયેલા છે. મેં તેમને આખા જિલ્લા માટે જિલ્લા બેન્કના ચેરમેન બનાવ્યા છે. આ કોઈ નાની બેન્ક નથી; તેનું પોતાનું મહત્ત્વ છે.
શ્રીજીત પવાર: જી, દાદા
અજીત પવાર: દીકરા, અમે હંમેશા બધી જાતિઓ અને ધર્મોને સાથે લઈને ચાલીએ છીએ.
શ્રીજીત પવાર: દાદા, મેં મારી પાસે જે માહિતી હતી તે શેર કરી જેથી તે તમને મદદરૂપ થઈ શકે.
અજીત પવાર: તે સાચું છે, પરંતુ અમે માલી સમુદાયને સુપે જૂથમાંથી જિલ્લા પરિષદની ઉમેદવારી આપી. અહીં OBC અનામત હતી, અન્ય લોકોએ તે કર્યું નહીં. અમે જે યોગ્ય લાગ્યું તે કર્યું.
શ્રીજીત પવાર: ઠીક છે દાદા, તમે જે યોગ્ય લાગે તે નક્કી કરી શકો છો.
અજીત પવાર: ઠીક છે.
જે વાતચીતો સામે આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અજિત પવાર તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સક્રિય રહ્યા. તેઓ વિવિધ સમુદાયો અને સમુદાયો સાથે જોડાવાના અને સામાજિક સંતુલન જાળવવાના મહત્ત્વ પર ભાર મૂકતા સાંભળવામાં આવે છે.


