વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadodara Corporation received 1 39 lakh complaints in the city in the year 2025

Vadodara Corporation : વડોદરા શહેરના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે પાલિકામાં અલગ અલગ ખાતાઓની અને વોર્ડ ઓફિસોને લગતની ફરિયાદો હાલમાં વિવિધ સ્તરે સ્વીકારવામાં આવે છે. શહેરના નાગરિકો દ્વારા ટોલ ફ્રી નંબર 1800 233 0265, પાલિકાની વેબસાઇટ (vmc.gov.in), મોબાઈલ અને વોટ્સઅપ એપ No.9913166666 ઉપર પાલિકાને લગત પાયાની બેઝીક સુવિધા લગતની ફરિયાદ કરી શકે છે.
શહેરના નાગરિકોની ફરિયાદોનો સીટીઝન ચાર્ટડ પ્રમાણે સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. કોલ સેન્ટરમાં નાગરિકોની ફરિયાદો જેવી કે ડ્રેનેજ, પાણી, ગેસ, રોડ, સ્ટ્રીટ લાઇટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન તેમજ વહીવટી વોર્ડ વિભાગોને લગતી તમામ ફરીયાદોના નિવારણ માટે પાલિકા દ્વારા જાહેર જનતાની ફરીયાદોનું સરળતાથી અને ઝડપી નિવારણ કરવામાં આવે છે. પાલિકાને લગત બધી જ કમ્પલેઇન જેવી કે રખડતાં ઢોર, રખડતાં કુતરા, વેરા લગત વગેરેનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઇ-વેસ્ટને લગતની ઇન્ફોરમેશન તેમજ રજુઆત પણ લેવામાં આવે છે. નાગરિકોને તેઓની ફરિયાદ અંગેનો ફરિયાદ નંબર, SMSથી જાણ કરવામાં આવે છે. શહેરીજનોની વિવિધ ફરિયાદો લગત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનીની સૂચનાથી તમામ ફરિયાદોનું અઠવાડીક રીવ્યુ કરવામાં આવે છે અને તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.

તારીખ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 એટલે કે ગયા એક વર્ષમાં 1.39 લાખ પાલિકાને મળેલી વિવિધ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો પશ્ચિમ ઝોનમાં જ્યારે સૌથી ઓછી દક્ષિણ ઝોનમાં મળી હતી. કેટેગરીની વાત કરીએ તો સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ અને વરસાદી ગટર (સ્ટોમ ડ્રેઈન) અંગે પાલિકાને મળી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આ વિભાગને સંલગ્ન ફરિયાદો સૌથી વધુ હોવાનું જણાઈ આવ્યું છે. વિવિધ વોર્ડ પૈકી સૌથી વધુ ફરિયાદો વોર્ડ નંબર પાંચમાં પ્રાપ્ત થઈ છે. જ્યારે સૌથી ઓછી ફરિયાદો વોર્ડ નંબર બેમાં થવા પામી છે.
નાગરિકો સાથે સીધા સંપર્કથી ફરિયાદો ઘટી
પાલિકાના વિવિધ વોર્ડ પૈકી સૌથી ઓછી ફરિયાદ વોર્ડ નંબર 2માં થવા પામી છે. જે મામલે સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમારા વોર્ડના તમામ ચાર સાથી કોર્પોરેટરોએ વિસ્તારમાં યોગ્ય આયોજન કરવા સાથે નાગરિકો સાથે સીધો સંપર્ક રાખતા હોવાથી વોર્ડમાં ફરિયાદો ઘટી છે. ફરિયાદ નિવારવા માટે અધિકારીઓ સાથે ત્વરિત સંકલન કરી પ્રશ્નો ઉકેલાતા નાગરિકોને રાહત મળી રહી છે.



