राष्ट्रीय

‘ભગવાનને પણ ન છોડ્યા’, સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, અરજી ફગાવી | Even God Was Not Spared Court Makes Strong Remarks In Sabarimala Gold Theft Case Petition Dismissed



Supreme Court On Kerala Sabarimala Temple Gold Theft Case : સુપ્રીમ કોર્ટમાં આજે (5 જાન્યુઆરી) કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરીને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પૂર્વ સભ્ય કે.પી.શંકર દાસની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે શંકર દાસની અરજી ફગાવીને કહ્યું કે, ‘તમે ભગવાને પણ છોડ્યા નથી.’

જવાબદારીમાંથી છટકી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેંચે આ મામલે સુનાવણી કરતા સ્પષ્ટ કહ્યું કે, દેવસ્વોમ બોર્ડના સભ્ય જેવા જવાબદાર પદ પર હોવા છતાં આ પ્રકારની ગંભીર બેદરકારી કે સંડોવણીને માફ કરી શકાય નહીં. અરજદાર શંકર દાસે કેરળ હાઈકોર્ટની એ ટિપ્પણીને હટાવવા માગ કરી હતી જેમાં તેમને અને કે. વિજયકુમારને ગુનાહિત કાવતરામાં જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે આ માગ સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં રૉકેટ ગતિએ વધારો

શું છે સમગ્ર મામલો?

સબરીમાલા મંદિરમાં દ્વારપાળ દેવતાઓની મૂર્તિઓ અને શ્રીકોવિલના દરવાજાઓ પર ચડાવવામાં આવેલું સોનું ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ મામલાની ગંભીરતા જોતા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં દેવસ્વોમ બોર્ડના બે પૂર્વ પ્રમુખો સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાઈકોર્ટે તાજેતરમાં જ SITને તપાસ પૂર્ણ કરવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો છે.

આ પણ વાંચો : ઈરાનમાં કંઈક મોટું થવાના એંધાણ ! ભારતે જાહેર કરી એડવાઈઝરી



Source link

Related Articles

Back to top button