गुजरात
વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporation removed the workers and beggars who were living under bridge in Vadodara

![]()
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બ્રિજ નીચે અડીંગો જમાવનાર શ્રમજીવીઓ ભિક્ષુકોને દબાણ શાખાની ટીમે હટાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના લાલબાગ, વડસર અમિત નગર તથા અન્ય કેટલાક બ્રિજ નીચે ભિક્ષુકો અને શ્રમજીવીઓ દિવસ રાત અડિંગો જમાવીને રહેતા હોય છે. કેટલાક બ્રિજ નીચે આવા લોકોએ ફુગ્ગા, રમકડા સહિતના વેપાર ધંધા માટે પણ તૈયારીઓ કરતા હોય છે. આ ઉપરાંત બ્રિજ નીચે ગંદકી પણ કરતા હોય છે. આવા તમામ લોકો સહિત અને શ્રમિકોને જુદા જુદા બ્રિજ નીચેથી અનેક લોકોને દબાણ શાખાની ટીમે ખદેડી દીધા હતા.



