गुजरात

દહેગામ નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા ઢોરોના ત્રાસથી દહેગામ ના એક જાગૃત નાગરિકે કલેક્ટર પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ

દહેગામ નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા ઢોરો ના મારણ થી બે જિંદગી નો ભોગ લેવાયો. હજુ કેટલા નો ભોગ લેવાશે ?

દહેગામ

રીપોટર – અનિલ મકવાણા

દહેગામ નગરપાલિકાની બેદરકારીના કારણે બે મૃત્યુ થઈ ગયેલ છે છતાં દહેગામ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી દહેગામ નગરપાલિકા ને જાહેર જનતાની કોઈ ચિંતા નથી નગરપાલિકા પ્રશાસન કુંભકર્ણ ની નિદ્રા માંથી કયારે જાગશે તેવો ગ્રામ જનો માં રોષ ફાટી નીકળ્યો છે 

શાક માર્કેટમાં અવારનવાર મહિલાઓ પર રખડતા ઢોરો દ્વારા હુમલો કરવામાં આવે છે જેથી શારીરિક પીડા સાથે તેઓનો પરિવાર મહિલા સંબંધિત પ્રવૃત્તિઓમાં ખૂબ જ હેરાન થય અને ઘરના પુરુષો તેમજ બાળકોએ મહિલા સંબંધિત પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે. દહેગામ નગરપાલિકા વિસ્તાર ની હદ માં આવેલ સ્ટેટ હાઇવે રોડ પર ગાયો ના ટોરેટોરા ઉભા હોય છે વાહન ચાલકો ને પણ હાલાકી ભોગવી પડે છે રખડતી ગાયો ને કોના દ્વારા પકડી પાંજરાપોળ કે ગૌ શાળા મુકવામાં આવશે દહેગામ નગરપાલિકા પ્રશાસન દ્વારા રખડતી ગાયો ને ટેગીંગ કરી અને ગાયો ના માલિક પર દંડ જોગવાઈ છે છતાં સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ઘોડી ને પી ગય હોય તેવું લાગી રહ્યું છે, યોગેન્દ્ર રાઠોડ દહેગામ ના જાગૃત નાગરિકે તો માનનીય શ્રી ચીફ ઓફિસર, મામલતદાર શ્રી અને કલેક્ટરશ્રી ઉપર પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે રખડતા ઢોરો ના ત્રાસ થી ગાંધીનગર કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુ ની માંગ કરી છે

 

Related Articles

Back to top button