गुजरात

રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા, 5 લાખથી વધુ લોકોનું રસીકરણ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના 19 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,51,121 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં અત્યાર સુધી 209 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,778 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.

આજે ક્યાં નોંધાયા કેસ

આજે રાજકોટ કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.

Related Articles

Back to top button