માળીયાના ચાચાવદરડામાં આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ મોરબી અને નવરંગ નેચર ક્લબ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
Anil Makwana

માળિયા
રીપોર્ટ – જાકીર મીર
માળિયાના ચાચાવદરડા ગામે આવેલ શ્રી રામ પેટ્રોલીયમ ખાતે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ અને નવરંગ નેચર ક્લબ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ૧૦૦૦ રોપાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રોપા વિતરણ કાર્યક્રમમાં મોરબી જીલ્લા મહામંત્રી જેસંગભાઈ હુંબલ, પર્યાવરણ પ્રેમી નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી. ડી. બાલા સાહેબ , આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ ના મોડરેટર શૈલેષભાઇ ખાંભરા, મોરબી જીલ્લા પેટ્રોલિયમ ડીલર એસોસિયેશન ના ઉપ પ્રમુખ પ્રદીપભાઇ હુંબલ અને મોટા દહીસરા ના સામાજીક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ઉદયભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા.
આજ ના કાર્યક્રમ માં વી. ડી બાલા સાહેબ દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી આપેલ તેમજ માળિયાના આસપાસના વૃક્ષપ્રેમી લોકોએ વિનામુલ્યે રોપા વિતરણનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ના મોરબી જીલ્લા કન્વીનર રવિભાઈ હુંબલ , સહ કન્વીનર હરદેવભાઇ કાનગડ અને મનવીરભાઇ ખાંડેખા એ કરેલ. અજય ભાઈ ડાંગર મોરબી તાલુકા સહ કન્વીનર, અમિતભાઈ ખાંભરા મોરબી તાલુકા સહ કન્વીનર,દિનેશભાઇ મિયાત્રા દહીંસરા વિલેજ કન્વીનર,રમેશભાઈ હુંબલ કેરાળી ગ્રામ્ય કન્વીનર,કે. કે લાવડિયા મેઘપર ગ્રામ્ય કન્વીનર,રાજેશભાઈ બાલસરા અને મોહનભાઇ કુવાડિયા ની જહેમત થી તેમજ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ના એડમીન શ્રી પી.આઈ. રામ સાહેબ, માર્ગદર્શક – ગુજરાત શ્રી ઘનશ્યામભાઈ હેરભા, સહ એડમીન શ્રી સંજયભાઇ છૈયા અને શ્રી મથુરભાઇ બલદાણીયા ના માર્ગદર્શન થી આ કાર્યક્રમ સફળ થયો હતો .
આ નિમિતે આહીર સમાજ ના તમામ ભાઈઓ તથા બહેનોને આ ગ્રુપ માં જોડાઈને સમાજ સાથે સામજિક, વ્યવહારીક , વ્યવસાયિક અને હકારાત્મક રીતે જોડાવા આહવાન કરવામાં આવે છે તેમજ આગામી સમયમાં આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતમાં અવનવી પ્રવુતિઓ દ્વારા સમાજ ને નવો રાહ ચીંધવા કટિબધ્ધ રહેશે…