गुजरात
વાવાઝોડાની આગાહી હોવા છતાં ગાંધીધામ વિસ્તારમાં બેનરો લાગેલા
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
વાવાઝોડાની આગાહી હોવા છતાં ગાંધીધામ વિસ્તારમાં બેનરો લાગેલા છે તે તંત્રને નહીં દેખાતું હોય કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું????
વાવાઝોડાની આગાહી ને લીધે સમગ્ર દેશમાં તંત્ર એલર્ટ છે ત્યારે ગાંધીધામ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઇ આવે છે
અને જે બેનરો લાગેલા છે તે અગર નહીં ઉતારવામાં આવે અને વધારે પવન ફૂંકાય તો થાંભલા પણ ઉખાડી ફેંકે અને કોઈ જાન હાનિ થાય તેવું લાગી રહ્યું છે જેથી તંત્ર આ બાબત ને ધ્યાનમાં લેશે કે કેમ????
દરેક વખતે વાવાઝોડાની આગાહી હોય ત્યારે લગભગ બેનરો ઉતારી લેવામાં આવતા હોય છે પરંતુ ગાંધીધામ ઘણા વિસ્તારમાં બેનરો લાગેલા છે ત્યારે નગરપાલિકા દ્વારા બેનરો ઉતારી લેવામાં આવશે કે કેમ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે