गुजरात

વાંસદાના ઘોડમાળ ગામના ૧૧૨, ખેડૂતોને અધિકારપત્રો અને માપણીશીટનું વિતરણ

માપણી પ્રક્રિયા શરૂ છૅ આવનારા દિવસોમાં ૫૦૦થી વધુ ખેડૂતોને લાભ મળશે.

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્વયે જંગલ જમીન ખેડતા ૧૧૨, ખેડૂતને આદેશપત્રો, અધિકારપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.વાંસદા તાલુકાના આ.જાતિ બહેનોના કલા કૌવશલ્યની કુશળતા માટે ઝુલા બનાવ વાની તાલીમ વર્ગની કાવડેજ ધરમપુર રોડ પર આવેલ તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી જે બાદ અજમલગઢ ખાતે સ્વાગત પ્રવચન બાદ દીપ પ્રાગટય કરીને તેમનું મહાનુભવો દ્વારા પુષ્પ ગુચ્છથી દ્વારા સ્વાગત કરાયું હતું જે બાદ ઘોડમાળ ગામના ૧૧૨ ખેડૂત લાભર્થી ઓનો આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપત સિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વનઅધિકાર અધિનિયમ ૨૦૦૬, અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂતને આદેશપત્રો, અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનું દેશ માટે મહત્વનું યોગદાન રહ્યું છે. વિસ્તારમાં રાજય સરકારે જંગલની જમીન આદિવાસી સમાજને ખેતી માટે આપી છે.

આદિવાસી સમાજનું દેશમાટે મહત્વનું યોગદાન રહ્યું છે : મંત્રી ગણપતિસિંહ વસાવ

રાજય સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે.આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છેરાજય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવેલા કરોડોના વિકાસ કામોની વિગતો આપીને પ્રકૃતિનું અને પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવા સૌ કોઈને હાકલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વનોનું રક્ષણ અને સંવર્ધન કરનારા વનવાસીઓનો ભવ્ય ઈતિહાસ રહેલો છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી તથા મહાનુભાવોના હસ્તે જંગલ જમીન ખેડતા ખેડૂતોને આદેશપત્રો, અધિકારપત્રો અને માપણીશીટ અધિકાર પત્રો એનાયત કર્યા હતા આ અવસરે જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી પદાધિકારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, અશોકભાઈ ધોરાજીયા વિજયભાઈ પટેલ રસિક ભાઈ ટાંક વિરલ વ્યાસ સંજય બિરારી સીવેન્દ્રસિંહ સોલંકી સહિત અન્ય ભાજપના કાર્યકરો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્‍ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી છેવાડાનો આદિવાસી સમાજ આર્થિક રીતે સદ્ધર બન્‍યો સાથે આદિવાસી ઓને સરકારી યોજનો નો લાભ લેવા પ્રેરીત કર્યા હતા.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજ માટે ૧.૧૦લાખ કરોડ થી વધુ સરકારે આપ્યા છે. વિદ્યાર્થીઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવી શકે તે હેતુસર સરકારે આદિવાસી વિસ્તારમાં એકલવ્ય શાળાઓ શરૂ કરી છે .બાળકોને સારું શિક્ષણ મળે માટે (વિદ્યાર્થી દિઠ ૧.૧૦ લાખ રૂપિયા સમરસ હોસ્ટેલો રાજ્ય સરકારે બનાવી દૂધ સંજીવની યોજના માં અમૃતમ યોજના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮૦૦૦,કરોડ જમાં થયા તેમજ આદિવાસીઓના વિકાસ માટે રાજ્‍ય સરકારે અમલી બનાવેલી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

Related Articles

Back to top button