સુરતમાં આપઘાતની બે કરૂણ ઘટના : કતારગામના રત્નકલાકાર, ગોપીપુરાના વેપારીએ જિંદગી ટૂંકાવી
સુરત : કોરોન મહામારી વચ્ચે લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો ભાંગી પડતા ગોપીપુરાના વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.ત્યારે બીજી બાજુ આર્થિક સંકડામણ કંટાળીને કતારગામના રત્નકલાકારે જહાંગીરપુરાના એક ખેતરમાં પતરાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બન્ને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બંને કિસ્સામાં આર્થિક તંગી સામે આવી છે. એક જ દિવસમાં આપઘાતની બે ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલ રીવાન્ટા લક્ઝુરિયા ખાતે રહેતા ચિંતનભાઈ લાલજીભાઈ સલીયા કતારગામ નંદુડોશીની વાડીમાં હીરાના કારખાનામાં કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણ અનુભવતા હતા. કોરોના લઇને એક બાજુ હીરા ઉધોગ બરાબર નહિ ચાલતો હોય સાથે પરિવારરની આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય તેના કારણે છેલ્લા લાંબા સમયથી માનસિક તણાવ અનુભવતા હતા.