गुजरात

અમદાવાદ-કેવડિયા સી પ્લેન ત્રણ દિવસની ઉડાન બાદ બે દિવસ મેઈન્ટેનન્સ માટે બંધ

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું  કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. જે બાદ મંગળવારે એટલે 3 નવેમ્બરનાં રોજ પહેલીવાર શિડ્યુલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચારેય ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે. એટલે જ્યાં સુધી અન્ય સી પ્લેન નહીં આવે ત્યાં સુધી સી પ્લેન સાત નહીં પરંતુ પાંચ દિવસ જ ઉડાન ભરશે તેવી સંભાવના છે.

4 અને 5 નવેમ્બરના રોજ સી પ્લેન બંધ રહેશે અને 6 નવેમ્બરથી ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થઇ જશે. સી પ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે એટલે મંગળવારે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ 15 મુસાફરોથી પેક હતી. પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં 60 ટકા મુસાફરો હતા.

Related Articles

Back to top button