આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા ટીમ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કર્યા
ગાંધીધામ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
સમગ્ર દેશમાં વધી રહેલા બળાત્કાર અને મહિલા અત્યાચાર વિરુદ્ધ તા 31.10.2020ના રોજ વિરોધ પ્રદર્શનકરવામાં આવ્યું. ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ નિર્મમ પણે વધી રહી છે ! છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે ! ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગુજરાત બળાત્કારનું હબ બનવા જઈ રહ્યું છે ! ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયાં છે. મહિલાઓ -બાળાઓ સુરક્ષિત નથી.સરકાર સંવેદનહિન બની છે.તેવું પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રોશનઅલી શાંધાણી જણાવ્યું હતું.. ગુજરાતની ભાજપ સરકાર વોટની રાજનીતિ કરે છે .જ્યારે કોઈ લોકો કે પક્ષ ન્યાય માટે અવાજ ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે જ્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે, હવે અમે કરીશું કામની અને ન્યાયની રાજનીતિ ..એવું ગાંધીધામ શહેર પ્રમુખ સમીરભાઈ દુદાની એ જણાવ્યું હતું,જાગૃતિ લાવવાનો અને અત્યાચારો અટકાવવા સંદર્ભમાં ભાજપ સરકારને જાગ્રત કરવા – ખબરદાર કરવા અને લોકોને સાવધાન કરવા, પૂર્વ કચ્છ જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જીલ્લા પ્રમુખ અને ગાંધીધામ શહેર પ્રમુખ, સમીરભાઈ દુદાની તેમજ ગાંધીધામ તાલુકા પ્રમુખ,મેહુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શનમાં,, પ્રકાશભાઈ ઠક્કર, આર ડી,માતંગ, સામજીભાઈ,નેહાલભાઈ ઈમ્તિયાઝ પઠાણ, જીમિટ પલણ, રવિ કિરણભાઈ,સ્યામભાઈ વિગેરે મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા ..