રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ, 1201 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 89.15 ટકા
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,64,121નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,143 છે. આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 231, અમદાવાદમાં 179, રાજકોટમાં 108, વડોદરામાં 119, જામનગરમાં 65, મહેસાણામાં 47, ગાંધીનગરમાં 38 સહિત કુલ 1136 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, રાજકોટમાં 2 જ્યારે સુરત અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 269, અમદાવાદમાં 175, વડોદરામાં 101, રાજકોટમાં 130, જામનગરમાં 83 સહિત કુલ 1201 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.